પ્રસ્તાવના :-
રક્ષાબંધનનો તહેવાર ભારતના તહેવાર માં નો એક પ્રાચીન તહેવાર છે. રક્ષાબંધન એટલે રક્ષા નું બંધન,એક એવું બંધન જે ભાઈને બધી જ તકલીફો થી દૂર રાખે છે. આ તહેવાર ભાઈ બહેન વચ્ચે પવિત્ર સંબંધનો પ્રતીક છે. રક્ષાબંધન એક સામાજિક,પૌરાણિક,ધાર્મિક અને ઐતિહાસિક લાગણીઓના દોરાથી બનેલું એવું પવિત્ર બંધન છે કે, જેથી રક્ષાબંધન માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને મોરેશિસ માં પણ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારને આપણે ભારતવાસીઓ સદીઓથી ઉજવતા આવ્યા છીએ. આજના સમયમાં આ તહેવાર ના દિવસે બહેન પોતાના ભાઈના ઘરે રાખડી અને મીઠાઈઓ લઈ જાય છે. ભાઈ રાખડી બંધાવ્યા પછી પોતાની બહેનને દક્ષિણા સ્વરૂપે પૈસા અથવા ભેટ આપે છે.
રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવે છે?
ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક :-
આમ તો ભાઈ-બહેનનો સંબંધ ખુબ જ ખાસ હોય છે,જેવી રીતે તે બંને એકબીજાની ચિંતા કરે છે તેનું કોઈ માપન કરી શકાતું નથી.ભાઈ બહેન વચ્ચે નો સબંધ અતુલ્ય છે, તેઓ ભલે નાની નાની વાત પર ઝઘડો કરે પરંતુ તેઓ એકબીજા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે. જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ સમય જાતાં આ સંબંધ વધારે મજબૂત થતો જાય છે. મોટાભાઈ પોતાની બહેનના રક્ષણ માટે હંમેશા તૈયાર હોય છે, આવી જ રીતે મોટી બહેન પણ પોતાના નાના ભાઈને માર્ગદર્શન આપવા હંમેશા તૈયાર હોય છે.ભાઈ-બહેનના આ પ્રેમના કારણે આ તહેવાર ઉજવવામાં આવે છે, રક્ષાબંધનનો તહેવાર દરેક ભાઈ બહેન માટે ખુબ જ કીમતી હોય છે.આ તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ,એકતા અને વિશ્વાસ નું પ્રતિક છે.
રક્ષાબંધન ની તૈયારી :-
સવારમાં વહેલા નાહી છોકરીઓ અને મહિલાઓ તૈયાર થઈ પૂજાની થાળી તૈયાર કરે છે. થાળીમાં રાખડી સાથે કંકુ, હળદર, ચોખા, દીવડો, મીઠાઈ, ફુલ અને થોડા પૈસા હોય છે. છોકરાઓ અને પુરુષો તૈયાર થઈ રાખડી બંધાવવા માટે નિયુક્ત જગ્યા પર બેસે છે. પહેલા ભગવાનની પૂજા કરે છે ત્યારબાદ હળદર અથવા કંકુથી ભાઈને ચાંદલો કરી એના પર ચોખા લગાવે છે અને માથા પર ફૂલો તથા ચોખા ઉડાડી ભાઈ ના દુખડા લે છે. અને દીવો પ્રગટાવી ભાઈની આરતી ઉતારે છે. પછી જમણા હાથ પર રાખડી બાંધે છે. ભાઈ બહેનોને પૈસા અથવા ભેટ આપે છે. આ મુજબ રક્ષાબંધન ઉજવી પછી જ તેઓ ભોજન કરે છે.
રક્ષાબંધનનું મહત્વ :-
રક્ષાબંધનનો પૌરાણિક પ્રસંગ :-
રક્ષાબંધનનો તહેવાર ક્યારે શરૂ થયો તે કોઇ નથી જાણતું. પરંતુ ભૂતકાળના વર્ણનમાં જાણવા મળ્યું છે કે દેવો અને દાનવો માં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે દાનવો ભારે શક્તિશાળી જણાયા. ભગવાન ઇન્દ્ર બીક ના લીધે બૃહસ્પતિ ના પાસે ગયા. ત્યાં બેઠા ઇન્દ્રના પત્ની આ બધુ સાંભળી રહ્યા હતા. તેમણે મંત્રો થી બનેલ રેશમ નો દોરો તેમના પતિ ના હાથ માં બાંધી દીધો, સંયોગ અનુસાર તે પુનમ નો દિવસ હતો. લોકો નો વિશ્વાસ હતો કે ઇન્દ્ર આ યુદ્ધ માં આ મંત્ર શક્તિ વાળા દોરા ના લીધે વિજય થયા. તે દિવસ થી શ્રાવણ મહિના ની પૂનમ ના દિવસે આ તહેવાર ઉજવામાં આવે છે. આ દોરો ધન, શક્તિ, સુખ અને વિજય અપાવવા માટે સંપૂર્ણ માનવમાં આવે છે. ઇતિહાસ માં ભગવાન શ્રી ક્રુષ્ણ અને દ્રોપતિ જી ની વાર્તા પ્રસિદ્ધ છે, જેમાં જ્યારે કૃષ્ણજીએ સુદર્શન ચક્ર થી શિશુપાલ વધ કર્યો હતો ત્યારે તેને તર્જની આંગળી માં લાગ્યું હતું. દ્રૌપદી એ ત્યારે તેમની સાડી ફાડી ને તેમની આંગળી પર બાંધી દીધી, અને આ ઉપકારને બદલે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને ગમે તે સંકટ સમયે સહાયતા કરવાનું વચન આપ્યું, આ વચન અનુસાર શ્રીકૃષ્ણ એ ચીરહરણ દરમિયાન તેમના ચીર પૂર્યા હતા.
રક્ષાબંધનનો ઐતિહાસિક પ્રસંગ :-
સ્વતંત્રતા સંગ્રામમાં રક્ષાબંધનની ભૂમિકા :-
રક્ષાબંધન ઉપર સરકારી પ્રબંધ:-
ઉપસંહાર :-
આજ આ તહેવાર આપણી સંસ્કૃતિ ની ઓળખાણ છે અને દરેક ભારતીય ને આ તહેવાર માટે ગર્વ છે. આજ કેટલાય ભાઈઓ ના હાથ પર રાખડી ફક્ત એટલા માટે નથી બંધાતી કારણકે તેમની બહેનને તેના માતા-પિતાએ આ દુનિયામાં જન્મ જ લેવા દેતા નથી. આ બહુ શરમ જનક વાત વાત છે કે જે દેશ માં કન્યા પૂજા નું વિધાન શાસ્ત્ર માં છે તે જ દેશ માં કન્યા ભ્રૂણ હત્યા ના કેસ સામે આવે છે. આ તહેવાર આપણને એ પણ યાદ અપાવે છે કે બહેનો આપણાં જીવન માં કેટલું મહત્વ ધરાવે છે.ભાઈઓ અને બહેનો માટે રક્ષાબંધન નું એક વિશેષ મહત્વ છે.આ તહેવાર માત્ર સામાન્ય લોકો દ્વારા જ નહીં પરંતુ દેવી દેવતાઓ દ્વારા પણ ભાઈ બહેનના પવિત્ર સબંધને કાયમ રાખવા માટે ઉજવામાં આવે છે.
રક્ષાબંધન નું ભાઈ બહેન માટે એક ખાસ મહત્વ છે કેટલાય ભાઈ બહેન એકબીજા ને વ્યાવસાયિક અને વ્યક્તિગત કારણોસર મળી સકતા નથી પરંતુ આ વિશેષ તહેવાર પર ચોક્કસ પણે સમય કાઢી આ તહેવાર ઉજવે છે,જે તેમનું મહત્વ દર્શાવે છે. આપણે આ મહાન અને પવિત્ર તહેવાર ના આદર્શો ની રક્ષા કરી ખુશી ખુશી આ તહેવાર ઉજવવો જોઇયે.